સંભવિત વળતર માટે જોખમને વૈવિધ્યસભર બનાવો

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

જોખમોને નિયંત્રિત કરી શકાય છે. અને મ્યુચ્યુઅલ ફંડ્ઝ લાભદાયક હોઇ શકે છે!

જ્યારે આપણે રોકાણમાં “જોખમ”ની વાત કરીએ છીએ ત્યારે રોકાણકારના મગજમાં તરત જ થોડા પ્રશ્નો ઉઠે છે... “શું મારા નાણાં સુરક્ષિત છે?” “મને કેટલું વળતર મળશે?” “મને જરૂરિયાત વખતે મારા નાણાં પાછા મળશે ખરા?”... આ તમામ પ્રશ્નો માન્ય છે, ચાલો આપણે મ્યુચ્યુઅલ ફંડને વધુ સારી રીતે સમજવા માટે તેમને ત્રણ દૃષ્ટિકોણથી સમજીએ.

વ્યાવસાયિક ફંડ સંચાલન - મ્યુચ્યુઅલ ફંડ્ઝ વ્યાવસાયિક ફંડ મેનેજર્સદ્વારા સંચાલિત થાય છે અને રોકાણકાર તરીકે તમે તેમના સંશોધન અને નિપુણતામાંથી લાભ મેળવો છો. આનાથી જોખમ સંપૂર્ણપણે દૂર થતું ન પણ હોઇ શકે, પણ તે નિશ્ચિતપણે તેને ઘટાડે છે.

વૈવિધ્યકરણ – મ્યુચ્યુઅલ ફંડ્ઝ જામીનગીરીઓનાં જૂથમાં રોકાણ કરે છે. વૈવિધ્યકરણ કોઈ જામીનગીરીના નબળા દેખાવથી ઊભા થતા જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

તમારા રોકાણના ઉદ્દેશને અનુરૂપ સ્કિમ પસંદ કરો – જો રોકાણની સમય અવધિ પસંદ કરેલા ફંડને અનુરૂપ હોય તો તમે તમારી જાતને ટૂંકા ગાળાના ઉતાર-ચડાવથી સુરક્ષિત રાખો છો. ઉદાહરણ તરીકે જો તમે ઇક્વિટી ફંડમાં રોકાણ કર્યું હોય તો તમે ટૂંકા ગાળાના ઉતાર-ચડાવથી અસર પામી શકો છો, પરંતુ લાંબા ગાળે વધુ શક્યતા છે કે  તમે ઇક્વિટી સાથે સંકળાયેલા લાંબા ગાળાનું વળતર પ્રાપ્ત કરી શકો છો.

મોટા ભાગના લોકો માને છે કે મ્યુચ્યુઅલ ફંડ્ઝ જોખમી હોય છે, કદાચ તેનું કારણ મ્યુચ્યુઅલ ફંડની જાહેરાતોમાં તેમને  જોવા મળતા માનક ડિસ્ક્લેઇમર છે. એ વાત યાદ રાખવી મહત્ત્વપૂર્ણ છે કે રોકાણકારની સુરક્ષાને સુનિશ્ચિત કરનારા આકરા નિયમનો, વ્યાવસાયિક ફંડ સંચાલન અને વૈવિધ્યકરણ જોખમોને ઘણે ખરે અંશે ઘટાડે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું