સ્કિમની ઊંચી કે નીચી એનએવીથી તમારા રોકાણ નિર્ણયને અસર થવી જોઇએ?

સ્કિમની ઊંચી કે નીચી એનએવીથી તમારા રોકાણ નિર્ણયને અસર થવી જોઇએ?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તમે જ્યારે ‘રેગ્યુલર’ પિઝાને બદલે ‘લાર્જ’ પિઝાને ઓર્ડર કરો ત્યારે શું તમને બંનેના સ્વાદમાં કોઇ ફરક લાગે છે ? સ્વાભાવિક છે ના ! બંને સમાન રેસિપી અને પ્રક્રિયાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હોય છે. તેમનું માત્ર કદ અને કિંમત અલગ અલગ હોય છે. તમે ફાર્મહાઉસ પિઝાનો એક જેવો જ સ્વાદ મેળવો છો પછી ભલે તમે મેનુમાંથી ગમે તે કદના પિઝા ઓર્ડર કરો.

મ્યુચ્યુઅલ ફંડ્ઝ પણ પિઝાની જેમ જ સરખો સ્વાદ ઓફર કરે છે. તમે જ્યારે ફંડ ખરીદો ત્યારે તમે તેની કિંમત એટલે કે ફંડના યુનિટ ખરદવા માટે એનએવી ચુકવો છો. વધુ રોકાણકારો તેમના નાણાં રોકી રહ્યા હોય એવા મોટા ફંડ અક્સયામતનો મોટો આધાર ધરાવશે અને તેથી એનએવી ઊંચી હશે. પરંતુ એ જ ફંડ જ્યારે રજૂ કરવામાં આવ્યો હોય ત્યારે તેની એનએવી ખૂબ નીચી હોય છે, કારણ કે ફંડની એનએવી સમય જતા વધે છે અને વધુ ને વધુ રોકાણકારો તેમાં જોડાય છે ત્યારે ફંડની વૃદ્ધિ થાય છે. પરંતુ શું એનો અર્થ એવો થાય છે કે ફંડની રેસિપી બદલાઇ છે કે તેને બનાવવાની પ્રક્રિયા બદલાઇ છે ?

જો ફંડના રોકાણનો ઉદ્દેશ બદલાયો ન હોય તો વિભિન્ન અસ્કયામતોના વર્ગ અને જામીનગીરીના પ્રકારની ફાળવણી અને ફંડ સંચાલન પ્રક્રિયા સમાન રહે છે. જેમ તમારા ફાર્મહાઉસ પિઝાનું કદ ગમે તે હોય પણ સ્વાદ બદલાતો નથી એવી જ રીતે ફંડની એનએવી ગમે તે હોય પણ તમારા વળતરના અનુભવને અસર થશે નહીં.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું