ઇન્ડેક્સ ફંડ્ઝની મર્યાદા કઈ છે?

ઇન્ડેક્સ ફંડ્ઝની મર્યાદા કઈ છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ઇન્ડેક્સ ફંડ્ઝને તેમની નિષ્ક્રિય શૈલીને લીધે ત્રણ ચાવીરૂપ ગેરલાભને વેઠવો પડે છે. તેઓ બજારના ઘટાડાનું સંચાલન કરવામાં ફંડ મેનેજરને લવચિકતા પૂરી પાડતા નથી. જો ઇન્ડેક્સનું અનુકરણ કરતા ફંડ આર્થિક કે બજારની પ્રતિકૂળ સ્થિતિને લીધે નકારાત્મક વળતરનું સર્જન કરી રહ્યા હોય તો પ્રવૃત્ત ફંડ મેનેજર ઘટાડાને વધુ સારી રીતે સંચાલિત કરવામાં સ્ટોક્સને પસંદ કરવાનો વિકલ્પ ધરાવે છે. પરંતુ ઇન્ડેક્સ ફંડ બજારમાં વધારા અને ઘટાડા દરમિયાન બેન્ચમાર્કને અનુસરતા હોવા જોઇએ.

પ્રવૃત્ત ફંડ મેનેજર આલ્ફા એટલે કે ફંડના બેન્ચમાર્ક કરતા વધુ વળતરનું સર્જન કરવાનો પ્રયત્ન કરે છે. તેથી પ્રવૃત્ત ફંડ્ઝ વધારાનું જોખમ લઈને તેમના બેન્ચમાર્ક કરતા ઊંચા વળતરનું સર્જન કરી શકે છે. પરંતુ ઇન્ડેક્સ ફંડ્ઝ નીચા જોખમની પ્રોડક્ટ્સ છે, જે અન્ડરલાઇંગ બેન્ચમાર્કનું અનુકરણ કરે છે. તેથી બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતા વધુ વળતર પ્રાપ્ત કરવા માગતા હોય એવા રોકાણકારે ઇન્ડેક્સ ફંડને ટાળવા જોઇએ, કારણ કે તેઓ બજારનાં સરેરાશ વળતરનું સર્જન કરે છે.

ઇન્ડેક્સ ફંડ્ઝ ઇન્ડેક્સને અનુસરવા માટે અને તેને સુસંગત વળતર પૂરા પાડવા માટે હોય છે, જ્યારે વાસ્તવિક જીવનમાં મોટા ભાગના ઇન્ડેક્સ ફંડ્ઝ ટ્રેકિંગ ત્રુટિની ઉપસ્થિતિને લીધે તેમના બેન્ચમાર્ક વળતરને ધીમા પાડે છે. ઇન્ડેક્સ ફંડે તેના ઇન્ડેક્સનાં બંધારણમાં ફેરફાર થવાને પગલે પોતાના પોર્ટફોલિયોને સમાયોજિત કરવાનું હોય છે અને તેના માટે તેને ખર્ચ થાય છે. ઇન્ડેક્સને જ્યારે તેના બંધારણમાં ફેરફાર થાય ત્યારે વહેવારનો આવો કોઇ ખર્ચ થતો નથી. ઇન્ડેક્સ ફંડ દ્વારા થતા વહેવારના ખર્ચ તેના વળતરને બેંચમાર્ક વળતરની સરખામણીએ ઘટાડે છે. 

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું