મ્યુચ્યુઅલ ફંડના દેખાવને શું અસર કરે છે?

મ્યુચ્યુઅલ ફંડના દેખાવને શું અસર કરે છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ રોકાણનો ઉદ્દેશ ધરાવે છે અને તેનું સંચાલન નિયુક્ત ફંડ મેનેજર દ્વારા થાય છે, જેઓ ઉદ્દેશ હાંસલ કરવા માટે ઇષ્ટતમ દેખાવ આપતા હોય એવા ફંડ માટે જવાબદાર હોય છે.

ફંડ મેનેજમેન્ટ ટીમ દ્વારા લેવામાં આવતા નિર્ણયો, મૂડીબજારના વિવિધ તબક્કાઓ, વેપાર અને આર્થિક સ્થિતિઓ અને સંબંધિત માઇક્રો તેમજ મેક્રો-ઇકોનોમિક પરિબળો વગેરેના કારણે આ પરફોર્મન્સને અસર પડે છે જે MF સ્કીમને અસર કરી શકે છે. સામાન્ય રીતે, તમામ ફંડ મેનેજમેન્ટ ટીમો પાસે એક પ્રક્રિયા હોય છે જે સ્કીમના માહિતી દસ્તાવેજમાં વ્યાખ્યાયિત કર્યા અનુસાર પોર્ટફોલિયોમાં સિક્યોરિટીઝની પસંદગીને નક્કી કરે છે. બજારની બદલાતી વિવિધ પરિસ્થિતિઓમાં, આ સિક્યોરિટીઝનું પરફોર્મન્સ આખરે સ્કીમનું પરફોર્મન્સ નક્કી કરે છે. આથી જ, તમે અલગ-અલગ ધ્યેયો માટે વિવિધ પ્રકારની MF સ્કીમ પસંદ કરો છો અને વિવિધ MF સ્કીમમાં અલગ-અલગ સમયગાળા માટે રોકાણ કરો છો. 

ફંડ સંચાલન ટીમ કિંમત, ગુણવત્તા, જોખમ, નાણાકીય બાબતો, સમાચાર પ્રવાહ અને આર્થિક વિકાસને આધારે યોગ્ય નિર્ણય લેવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે. દૃઢ કુશળતા, મજબૂત પ્રક્રિયા અને સંબંધિત અનુભવ ધરાવતી ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.

જો કે, વાસ્તવિક સમયની ક્ષિતિજ પર એટલે કે - ઇક્વિટી ફંડ્સ માટે લાંબા ગાળાના, હાઇબ્રિડ ફંડ્સ માટે મધ્યમ ગાળા અથવા લિક્વિડ ફંડ્સ માટે ખૂબ ટૂંકા ગાળાના તબક્કા માટે પરફોર્મન્સ માપવું મહત્વપૂર્ણ છે. 

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. 

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું