જો મારી પાસે પૂરતી બચત થયેલી જ હોય તો પછી મારે શા માટે નિવૃત્તિ અંગે પ્લાનિંગ કરવું જોઇએ?

જો મારી પાસે પૂરતી બચત થયેલી જ હોય તો પછી મારે શા માટે નિવૃત્તિ અંગે પ્લાનિંગ કરવું જોઇએ?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

અત્યારે તમારી ઉંમર ભલે ગમે તે હોય અને આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, તમે ક્યારેય નથી જાણતા કે આવતીકાલે શું થવાનું છે. જો તમે આવતીકાલ વિશે નિશ્ચિત ના હોવ તો, શું તમે ખાતરી છે કે, તમે નિવૃત્તિ માટે જે પણ બચત કરી છે તે તમારા જીવનના છેલ્લા દિવસ સુધી રહેશે? આયુષ્ય અને તબીબી ખર્ચા બંને વધતા જશે અને તમે નથી જાણતા કે, તમારી નિવૃત્તિનો તબક્કો એક દાયકો ચાલશે કે ત્રણ દાયકા સુધી. કોઇપણ ફાઇનાન્સિઅલ પ્લાનિંગ કામ કરે તે માટે, સમયની મર્યાદા જાણવી ખૂબ મહત્વપૂર્ણ છે, પરંતુ આ કિસ્સામાં સમયની કોઇ જ ચોક્કસ મર્યાદા નથી. આથી, તમારી નિવૃત્તિની સિલક માટે વધારાની મૂડી એકઠી કરવા માંડો એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.

પરંતુ પહેલા તબક્કામાં જ આર્થિક લક્ષ્યોને હાંસલ કરવાનો પડકાર હોય તેવામાં કોઇ વ્યક્તિ વધારાની સિલક કેવી રીતે ભેગી કરી શકે? તમે તમારી બચતને એવી જગ્યા રોકીને તમારી નિવૃત્તિ માટે સિલક ભેગી કરી શકો છો જે લાંબાગાળે ફુગાવાને નાથી શકે તેમ હોય અને સંપત્તિનું સર્જન પણ કરી શકે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું રોકાણ. વધારાનું નિવૃત્તિનું ફંડ તમને મેડિકલ ઇમરજન્સી અથવા અનિચ્છિત ઘટનાઓના રૂપમાં આવતા અનઅપેક્ષિત આંચકાઓથી બચાવી શકે છે.

તેમજ, તમે તમારા બાળકો અથવા પૌત્ર-પૌત્રીઓ પ્રત્યે તમારો પ્રેમ અભિવ્યક્ત કરવા માટે ભેટસોગાદો આપી શકો છો, પરિવાર અને મિત્રોને મળવા માટે વધુ અવારનવાર મુસાફરી કરી શકો છો અને પોતાની જાતની પણ ખૂબ સારી સંભાળ રાખી શકો છો. જો તમે નિવૃત્તિને પોતાના અંદાજમાં માણવા માંગતા હોવ તો તેના માટે ગમે તેટલી બચત કરો તે ઓછી જ છે!

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું