વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ શા માટે કરવું જોઇએ ?

વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ શા માટે કરવું જોઇએ? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં ક્યારેય નહીં, પરંતુ તેના મારફતે રોકાણ કરવું જોઇએ.

આને સમજવા માટે આપણે આપણી જરૂરિયાતને આધારે વિભિન્ન રોકાણ સ્થળોમાં રોકાણ કરીએ છીએ, દા.ત. મૂડી વૃદ્ધિ માટે આપણે ઇક્વિટી શેરોમાં રોકાણ કરીએ છીએ, મૂડીની સુરક્ષા અને નિયમિત આવક માટે આપણે નિશ્ચિત આવક આપતી પ્રોડક્ટ્સ ખરીદીએ છીએ.

મોટા ભાગના રોકાણકારોને એ ચિંતા હોય છે કે કયા સાધનો તેમના માટે શ્રેષ્ઠ છે તે કેવી રીતે જાણી શકાય ? વ્યક્તિ સંશોધન કરવા માટે પૂરતી ક્ષમતા, સમય કે રસ ધરાવતી ન પણ હોઇ શકે.

રોકાણને સંચાલિત કરવા માટે કોઇ વ્યક્તિ પોતે કરવા માટે સક્ષમ ન હોય એવા અમુક કાર્યો આઉટસોર્સ કરી શકે છે. કોઇ પણ વ્યક્તિ પોતાનાં રોકાણનું સંચાલન વ્યાવસાયિક કંપની – મ્યુચ્યુઅલ ફંડ કંપનીને આઉટસોર્સ કરી શકે છે.  મ્યુચ્યુઅલ ફંડ્ઝ વિભિન્ન ઉદ્દેશો પરિપૂર્ણ કરવા માટે રોકાણના વિભિન્ન વિકલ્પો ઓફર કરે છે, જે રોકાણકારો તેમની ખાસ પરિસ્થિતિ અને ઉદ્દેશને આધારે પસંદ કરી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ દસ્તાવેજી કાર્યવાહી સહિતની તમામ વહીવટી પ્રવૃત્તિઓ સંચાલિત કરે છે. તેમને નેટ એસેટ વેલ્યુઝ (એનએવી) અને ખાતાનાં સ્ટેમેન્ટ્સનાં સંયોજન મારફતે રોકાણ પોર્ટફોલિયોની હિસાબી અને પ્રગતિની રિપોર્ટિંગની પણ સુવિધા આપવામાં આવે છે.

જે લોકોને ભવિષ્યની જરૂરિયાત માટે પોતાના નાણાંનું રોકાણ કરવાની જરૂરિયાત હોય તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ શ્રેષ્ઠ રીતે સુવિધાજનક છે. વ્યાવસાયિકોની ટીમ નાણાંનું સંચાલન કરે છે અને રોકાણકારો તેમના કાર્યોમાં સામેલ થયા વિના આ નિપુણતાનાં પરિણામો માણી શકે છે.

427
હું રોકાણ કરવા માટે તૈયાર છું