વિલંબ ખર્ચનું કેલ્ક્યુલેટર

શું તમારું રોકાણ વિલંબિત કરવાનું વિચારી રહ્યા છો ?
તમે નિર્ણય લો તે પહેલા તમારા વળતર પર અસરની ગણતરી કરવાનું વિચારો.

  આજે રોકાણ કરો પછી રોકાણ કરો
વર્ષો
વર્ષો
10%
એસઆઇપી બંધ કરવાની ઉંમર
વર્ષો
વર્ષો
રોકાણના કુલ વર્ષ 10 વર્ષો 5 વર્ષો
રોકાણ કરવામાં આવેલી કુલ રકમ ₹ 1.20 લાખ ₹ 60,000
તમારા રોકાણનું અંતિમ મૂલ્ય ₹ 2.05 લાખ ₹ 77,437
સર્જાયેલી સંપત્તિ ₹ 84,845 ₹ 17,437
વિલંબની કિંમત  
₹ 1.27 લાખ
  આજે રોકાણ કરો પછી રોકાણ કરો
વર્ષો
વર્ષો
10%
રકમ ઉપાડતી વખતે ઉંમર
વર્ષો
વર્ષો
રોકાણના કુલ વર્ષ 10 વર્ષો 5 વર્ષો
રોકાણ કરવામાં આવેલી કુલ રકમ ₹ 1 લાખ ₹ 1 લાખ
તમારા રોકાણનું અંતિમ મૂલ્ય ₹ 2.59 લાખ ₹ 1.61 લાખ
સર્જાયેલી સંપત્તિ ₹ 1.59 લાખ ₹ 61,051
વિલંબની કિંમત  
₹ 98,323

ડિસ્ક્લેઇમરઃ

ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકી શકે અથવા ન પણ ટકી શકે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.
કૃપા કરીને નોંધ લો કે આ કેલ્ક્યુલેટર્સ માત્ર ઉદાહરણ માટે છે અને તે વાસ્તવિક વળતર રજૂ કરતા નથી.
મ્યુચ્યુઅલ ફંડ્ઝ વળતરનો સ્થાયી દર ધરાવતા નથી અને વળતરના દરની આગાહી કરવી શક્ય નથી. *આમાં અહીં પ્રદર્શિત કરેલા મૂલ્ય પર ફુગાવાની અસરને ધ્યાનમાં લેવામાં આવી નથી.

વિલંબનો ખર્ચ શું છે ?

વિલંબના ખર્ચનો અર્થ થોડા વર્ષો માટે રોકાણને મુલતવી રાખવામાં આવે ત્યારે આવશ્યક નાણાંની રકમ થાય છે.

વિલંબના ખર્ચનું કેલ્ક્યુલેટર શું છે ?

વિલંબના ખર્ચનું કેલ્ક્યુલેટર તમને વિશિષ્ટ અવધિ સુધી તમારા વ્યવસ્થિત રોકાણને વિલંબિત કરવાનાં પરિણામો સમજવામાં સહાય કરે છે. તે તમને જો તમારું રોકાણ શરૂ કરવામાં વિલંબ થાય તો તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે આવશ્યક વધારાનાં નાણાંની જરૂરિયાતને જાણવામાં સહાય કરે છે.
તે દર્શાવે છે કે નાનો વિલંબ પણ તમારા લાંબા ગાળાના રોકાણને ઘણી અસર કરી શકે છે, તેથી નાણાકીય સફળતા માટે તાત્કાલિકપણે શરૂ કરવું હંમેશાં મહત્ત્વપૂર્ણ હોય છે.

લોકોને પોતાનું રોકાણ કરવામાં વિલંબ થવા માટેનાં કારણો કયા છે ?

રોકાણ કરવામાં વિલંબમાં યોગદાન આપનારા પ્રાથમિક પરિબળોમાં સામેલ છેઃ

  • અપૂરતું નાણાકીય જ્ઞાન
  • સ્પષ્ટ લક્ષ્યો અને આયોજનની ગેરહાજરી
  • ટાળતા રહેવું
  • ખરાબ બજેટની આદતો
  • જોખમ લેવાનો ભય

રોકાણને વિલંબિત કરવાથી નોંધપાત્ર પરિણામો આવી શકે છેઃ

  • બજારમાં સમય ગુમાવવાને લીધે લાંબા ગાળાના લક્ષ્યો માટે અપર્યાપ્ત ભંડોળ
  • તમારા નાણાંની ખરીદ શક્તિ નબળી પડવી
  • ચક્રવૃદ્ધિની શક્તિ ખૂટી જવી

તમારે વિલંબના ખર્ચનાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ ક્યારે કરવો જોઇએ ?

રોકાણને મુલતવી રાખવાનું વિચાર કરતી વખતે વિલંબના ખર્ચનાં કેલ્ક્યુલેટરના ઉપયોગને ધ્યાનમાં લો. તે વિલંબને લીધે આવશ્યક રોકાણની રકમમાં તફાવતની આકારણી કરવામાં સહાય કરે છે, જે તમને ત્વરિત વિરુદ્ધ વિલંબિત વિકલ્પોની તુલના કરવા અને વાસ્તવિક સંખ્યાઓને આધારે વધુ સારા નિર્ણયો લેવામાં સક્ષમ બનાવે છે.

વિલંબના ખર્ચનાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના લાભ

  • સમય-સંવેદનશીલ તકોનું મૂલ્યાંકન કરે છેઃ નિર્ધારિત કરે છે કે તે સમય-મર્યાદિત રોકાણ વિકલ્પોની સાથે ત્વરીત અથવા વિલંબિત કાર્ય કરવું નાણાકીય રીતે લાભદાયી છે કે નહીં.
  • લાંબા ગાળાની વૃદ્ધિનું વિશ્લેષણ કરે છેઃ નિયમિત રોકાણોને મુલતવી રાખવાથી વૃદ્ધિના અને ચક્રવૃદ્ધિની અસરનાં સંભવિત નુકસાનને જુએ છે.
  • રોકાણ વિકલ્પોની તુલના કરે છેઃ અલગ અલગ સમયસીમા અથવા સંભવિત વળતર સાથે વિભિન્ન વિકલ્પોમાં રોકાણને મુલતવી રાખવાના ખર્ચની માત્રા નિર્ધારિત કરે છે અને તુલના કરે છે.

વિલંબના ખર્ચનું કેલ્ક્યુલેટર કેવી રીતે કાર્ય કરે છે ?

આ કેલ્ક્યુલેટર બજારની વધઘટ અથવા વળતર પર બાહ્ય પ્રભાવોને ધ્યાનમાં લીધા વિના પૂર્વનિર્ધારિત ફોર્મ્યુલાને આધારે સંચાલિત થાય છે.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

પ્રશ્ન 1. રોકાણ વિલંબના ખર્ચનું કેલ્ક્યુલેટર રોકાણ નિર્ણયો લેવામાં કેવી રીતે સહાય કરે છે ?

ઉત્તર. રોકાણ વિલંબનું કેલ્ક્યુલેટર રોકાણને મુલતવી રાખવાના પ્રભાવને દર્શાવીને માહિતગાર નિર્ણયો લેવામાં સહાય કરે છે. તે તમને રોકાણ કરવાની શરૂઆત માટે અને તમારા નાણાકીય લક્ષ્યો તરફ કાર્ય કરવા માટે ઇષ્ટતમ સમય નિર્ધારિત કરવામાં સહાય કરે છે.

પ્રશ્ન 2. રોકાણ વિલંબના ખર્ચની ગણતરી કરવી શા માટે મહત્ત્વપૂર્ણ છે ?

ઉત્તર. રોકાણ વિલંબના ખર્ચની ગણતરી તમને રોકાણની વહેલા શરૂઆત કરવાનાં મહત્ત્વ અને તેમને મુલતવી રાખવાના સંભવિત તકના ખર્ચને સમજવામાં સહાય કરે છે.

પ્રશ્ન 3. રોકાણ વિલંબ કેલ્ક્યુલેટરનો ખર્ચ કયા પરિબળોને ધ્યાનમાં લે છે ?

ઉત્તર. કેલ્ક્યુલેટર સામાન્યપણે તમે રોકાણ કરવા માગો છો તે રકમ, સમય સીમા, અપેક્ષિત વળતર અને વિલંબિત અવધિને ધ્યાનમાં રાખે છે.

પ્રશ્ન 4. શું રોકાણ વિલંબ ખર્ચનાં કેલ્ક્યુલેટરનાં પરિણામોની કોઇ ગેરંટી હોય છે ?

ઉત્તર. પરિણામો અમુક ધારણાઓ આધારિત અંદાજ હોય છે અને તેમનો ભવિષ્યનાં પરિણામોની ગેરંટીને સ્થાને માર્ગદર્શક તરીકે ઉપયોગ કરવો જોઇએ.

ડિસ્ક્લેઇમર:

1. કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કેલક્યુલેટર્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી.

2. મ્યુચ્યુઅલ ફંડ્સમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી.

3. મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.