શું તમે વર્ષ 2013 પહેલાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કર્યું છે? તો અહીં એક એવી બાબત છે, જેના વિશે તમને જાણવામાં રસ પડશે.
2 મિનિટ વાંચન
જો તમે વર્ષ 2013 પહેલાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હોય, તો એક મહત્વપૂર્ણ ફેરફાર વિશે તમને જાણકારી હોવી જોઇએ.
વર્ષ 2013 પહેલાં તમામ રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ્સના ફક્ત એક જ પ્રકારના પ્લાન ઉપલબ્ધ હતાં. વિતરક, સલાહકાર, બેંક અથવા સીધી મ્યુચ્યુઅલ ફંડ કંપની મારફતે રોકાણ કરવામાં આવ્યું હોય, તમામ રોકાણકારો એક જ પ્લાનમાં સામેલ રહેતા હતા.
1 જાન્યુઆરી, 2013થી SEBIએ ‘ડાયરેક્ટ પ્લાન’ નામથી એક અલગ વિકલ્પ રજૂ કર્યો હતો. આ ફેરફારને કારણે વર્ષ 2013 પહેલાંથી રોકાણ કરી રહેલા રોકાણકારોને એક વિકલ્પ આપવામાં આવ્યો — તેઓ ઇચ્છે તો તેમની હાલની રોકાણ વ્યવસ્થા ચાલુ રાખી શકતા હતા અથવા તેમાં ફેરફાર કરી શકતા હતા.
ઘણાં રોકાણકારોએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર તેમનું રોકાણ યથાવત્ જાળવી રાખ્યું હતું. સમય જતાં કેટલાક રોકાણકારોએ નોંધ્યું કે, આજે તેમના ફોલિયો સાથે કોઈ ડિસ્ટ્રિબ્યુટર કૉડ જોડાયેલો ન હોવા છતાં પણ તેમનું રોકાણ હજુ ‘રેગ્યુલર પ્લાન’માં જ છે.
જો તમે પણ આવા રોકાણકારોમાંથી એક છો, તો હવે તમારી પાસે બે સરળ વિકલ્પ છેઃ
1. તમારા રોકાણને ફરીથી કોઈ વિતરક સાથે સાંકળો.
જો તમે તમારા રોકાણ માટે મદદ મેળવવા ઇચ્છતા હો, તો તમે કોઈ વિતરક અથવા સલાહકારની પસંદગી કરીને તેમને તમારા ફોલિયો સાથે સાંકળી શકો છો.
વિતરક નીચે મુજબની સેવાઓમાં મદદ કરી શકે છેઃ
- રોકાણ સંબંધિત સહાય
- ટ્રાન્ઝેક્શન સંબંધિત સહાય
- પોર્ટફોલિયોની સમીક્ષા
- માર્ગદર્શન અને પ્રશ્નોના નિરાકરણમાં સહાય
રોકાણ એ જ પ્લાનમાં યથાવત્ જળવાઈ રહેવાનું હોવાથી સામાન્ય રીતે આ વિકલ્પમાં કોઈ કરવેરો ભરવાનો આવતો નથી.
2. ડાયરેક્ટ પ્લાનમાં સ્વિચ કરો
જો તમે તમારા રોકાણનું સંચાલન જાતે કરવાનું પસંદ કરતા હો, તો તમે ડાયરેક્ટ પ્લાન પર સ્વિચ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.
જોકે, રોકાણકારોએ અહીં એ બાબત યાદ રાખવી જોઈએ કે, આ સ્વિચને નીચે મુજબ ગણવામાં આવે છેઃ
હાલના પ્લાનમાંથી રીડમ્પશન, અને
નવા પ્લાનમાં નવી ખરીદી.
આ કારણે કેપિટલ ગેઇન ટેક્સ લાગી શકે છે. આ પગલું લેતાં પહેલાં રોકાણકારોએ કરવેરા સંબંધિત સલાહકારની સલાહ લઈ લેવી જોઇએ.
સ્વિચની વિનંતી સામાન્ય રીતે નીચે મુજબ કરી શકાય છેઃ
MF સેન્ટ્રલ અથવા સંબંધિત એસેટ મેનેજમેન્ટ કંપની / RTA ઑફિસ મારફતે ઑનલાઇન.
રોકાણકારો કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવાનું પસંદ કરીને તેમની હાલની રોકાણ વ્યવસ્થા યથાવત્ પણ રાખી શકે છે.
દરેક રોકાણકાર માટે એક જ વિકલ્પ યોગ્ય હોય એવું જરૂરી નથી. યોગ્ય વિકલ્પ એ વાત પર આધાર રાખે છે કે, તમે રોકાણ સંબંધિત સહાય મેળવવા ઇચ્છો છો કે જાતે જ તેનું સંચાલન કરવાનું પસંદ કરો છો, તેમજ જો કોઈ કરવેરો લાગુ થતો હોય તો તેની સાથે તમે કેટલા અનુકૂળ છો. તમારા માટે ઉપલબ્ધ વિકલ્પોને સમજવાથી તમને યોગ્ય અને સૂચિત નિર્ણય લેવામાં મદદ મળી શકે છે.
કરવેરાની અસરો જો કોઈ હોય તો, તે દરેક રોકાણકાર માટે અલગ-અલગ હોઈ શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલાં જરૂર જણાય તો રોકાણકારોને તેમના કરવેરા સંબંધિત સલાહકારની સલાહ લેવાની ભલામણ કરવામાં આવે છે.
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.