સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP) એટલે શું?
2 મિનિટ 45 સેકન્ડનું વાંચન

કેટલાક લોકો નિયમિત આવક માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં હોય છે અને તેઓ સામાન્ય રીતે ડિવિડન્ડ મેળવવાના વિકલ્પો પણ શોધતા હોય છે. આ પ્રકારના રોકાણકારોની જરૂરિયાતને પૂરી કરવા માટે કેટલીક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ ખાસ કરીને ડેટ કેટેગરીની સ્કીમ્સ સરપ્લસની ઉપલબ્ધતાને આધિન માસિક કે ત્રિમાસિક ધોરણે ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલ (IDCW)ના વિકલ્પો પૂરી પાડતી હોય છે. અહીં એ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે ડિવિડન્ડ્સ, સ્કીમ દ્વારા કમાવવામાં આવેલા નફા કે લાભમાંથી વહેંચવામાં આવે છે અને તે દર મહિને મળશે જ તેવી કોઈ બાંયધરી હોતી નથી. ફંડ હાઉસ નિરંતરપણે ડિવિડન્ડ્સ આપવા માટે પ્રયત્નશીલ હોવા છતાં માર્કેટની ગતિવિધિ અને ફંડના પર્ફોમન્સ દ્વારા વહેંચી શકાય તેવી સરપ્લસ છે કે નહીં તે નક્કી થાય છે.
રોકાણમાંથી સમયાંતરે નાણાં ઉપાડવા માટેની અન્ય એક પદ્ધતિ પણ છેઃ જેમ કે, સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP)નો ઉપયોગ કરવો. અહીં તમારે દર મહિને ચૂકવણી/ઉપાડ તરીકે કેટલી નિશ્ચિત રકમની જરૂર છે, તે જણાવવાનું રહે છે. ત્યારબાદ એક નિશ્ચિત તારીખે આ નિશ્ચિત રકમ જેટલા યુનિટોને રીડીમ કરી લેવામાં આવશે. ઉદાહરણ તરીકે, એક રોકાણકાર 10 લાખનું રોકાણ કરે છે અને તેઓ દર મહિનાની પહેલી તારીખે રૂ. 10,000ની ચૂકવણી કરવાની વિનંતી કરે છે. ત્યારબાદ, રૂ. 10,000ની કિંમત જેટલા યુનિટોને દર મહિનાની પહેલી તારીખે રીડીમ કરી લેવામાં આવશે.
અહીં એ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે ડિવિડન્ડ અને SWPs એમ બંને માટેનો કર-ઉપાય અલગ-અલગ હોય છે અને રોકાણકારોએ તદનુસાર આયોજન કરવું જરૂરી છે.
સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાનની સર્વસામાન્ય લાક્ષણિકતાઓ આ મુજબ છેઃ
- સ્થિતિસ્થાપકતાઃ તમે ઉપાડની રકમ અને ફ્રીક્વન્સીને પસંદ કરી શકો છો.
- સંતુલિત વૃદ્ધિઃ તમે જ્યારે નાણાં ઉપાડો છો ત્યારે બાકીના નાણાંનું રોકાણ જળવાયેલું જ રહે છે, જેના પર સંભવિત વળતર મળવાનું ચાલું રહે છે.
- કરવેરાની અસરોઃ SWPમાંથી ઉપાડવામાં આવેલા મુખ્ય હિસ્સા પર કરવેરો વસૂલવામાં આવતો નથી, જે એકસામટા બધાં જ નાણાં ઉપાડી લેવા પર તાત્કાલિકપણે લાગતા કરવેરાના ભારણને ઘટાડી દે છે.
તમારા રોકાણમાં SWPને સેટ અપ કરવાના પગલાં:
સ્ટેપ 1: યોગ્ય ફંડને પસંદ કરો - તમારા રોકાણના હેતુ અને જોખમ સહન કરવાની ક્ષમતાની સાથે મેળ ખાતા હોય તેવા મ્યુચ્યુઅલ ફંડને પસંદ કરો.
સ્ટેપ 2: ઉપાડવા માટેની રકમ નક્કી કરો - તમારા નિયમિત ખર્ચાઓ માટે જરૂરી હોય એટલી નિશ્ચિત રકમને નિર્ધારિત કરો.
સ્ટેપ 3: ફ્રીક્વન્સી સેટ કરો - તમે કેટલી વાર નાણાં ઉપાડવા માગો છો તે પસંદ કરો (માસિક, ત્રિમાસિક વગેરે).
સ્ટેપ 4: SWP શરૂ કરો - તમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર, નાણાકીય સલાહકાર મારફતે અથવા તો નીચા ખર્ચ ગુણોત્તર માટે ડાયરેક્ટ પ્લાન હેઠળ AMCના પોર્ટલ મારફતે સીધો પ્લાન શરૂ કરો.
ફૉર્મની ટોચે
ફૉર્મના તળિયે
સ્ટેપ 5: તમારા રોકાણ પર નજર રાખો - સ્થિરતાની ખાતરી કરવા માટે સમયાંતરે તમારા બાકીના ભંડોળની સમીક્ષા કરતાં રહો અને જરૂર જણાય તો એડજેસ્ટમેન્ટ કરો.
આ પ્રકારે રોકાણ અને વિડ્રોઅલ પ્લાન શરૂ કરતાં પહેલાં તમારે કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જોઇએઃ
- ભંડોળની સસ્ટેનેબિલિટીઃ તમારા રોકાણના કદ અને અપેક્ષિત વળતર પર આધાર રાખીને તમે ઉપાડેલી રકમ સસ્ટેનેબલ હોય તેની ખાતરી કરો.
- માર્કેટનું પર્ફોમન્સઃ એ બાબતનું ધ્યાન રાખો કે તમારા રોકાણનું મૂલ્ય માર્કેટની પરિસ્થિતિ પર આધાર રાખીને બદલાઈ શકે છે.
- એક્ઝિટ લૉડ અને ચાર્જિસઃ SWPની મુદત દરમિયાન ઉપાડવામાં આવેલા નાણાં પર કેટલી ફી વસૂલવામાં આવે છે, તે ધ્યાનમાં રાખો.
- ફુગાવોઃ સમયાંતરે ફુગાવો તમે ઉપાડેલા નાણાંની ખરીદશક્તિને ઘટાડી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં SWPના સર્વસામાન્ય ઉપયોગોઃ
ઇક્વિટી ફંડ્સ લાંબાગાળાની વૃદ્ધિ માટે અનુકૂળ છે, જોકે તે માર્કેટમાં ઘણાં અસ્થિર હોય છે.
ડેટ ફંડ્સ ઐતિહાસિક રીતે સ્થિર વળતર આપવા માટે જાણીતા છે, જોકે, તે વળતરની કોઈ બાંયધરી આપતા નથી અને આથી જ તે પરંપરાગત રોકાણકારો માટે આદર્શ ગણાયે છે.
તમારું રોકાણ ઝડપથી સાફ થઈ જઈ શકે છે અને ભવિષ્યની જરૂરિયાત માટે તદ્દન નહિવત્ નાણાં બાકી રહે તેમ પણ બની શકે છે. તેના બદલે SWP નિશ્ચિત ચૂકવણી કરે છે, જેમાં તમારી કમાણી ચાલું રહે તે માટે સમયાંતરે બેલેન્સ ઘટતું જાય છે અને આમ તે એક સ્થિર ફાઇનાન્શિયલ પ્લાન બની રહે છે.
અસ્વીકરણઃ મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.