શા માટે કોઇએ ફિક્સ્ડ ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવું જોઇએ?

શા માટે કોઇએ ફિક્સ્ડ ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવું જોઇએ? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ફિક્સ્ડ-ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ, (મ્યુચ્યુઅલ ફંડનું એક સ્વરૂપ) કોર્પોરેટ બોન્ડ્સ, સરકારી બોન્ડ્સ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને અન્ય ડેબ્ટ સિક્યોરિટીઝ જેવી ફિક્સ્ડ-ઇન્કમ એસેટ્સમાં ફંડની એસેટ ફાળવણી અને સેબી દ્વારા પરવાનગી આપેલી માર્ગદર્શિકા અને મર્યાદાઓ અનુસાર રોકાણ કરે છે. તેમનો ઉદ્દેશ્ય વ્યાજ અને મૂડી વૃદ્ધિ દ્વારા વળતર મેળવવાનો હોય છે. આ ફ્લેક્સિબિલિટી રોકાણના વિવિધ ઉદ્દેશ્યો અને જોખમ સહન કરવાની સમર્થતાને અનુરૂપ હોય છે. ફિક્સ્ડ-ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સને ડેબ્ટ અથવા બોન્ડ ફંડ્સ પણ કહેવામાં આવે છે.

ફિક્સ્ડ-ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોને અસંખ્ય સુવિધાઓ પૂરી પાડે, જેમ કે:

  • ડાઇવર્સિફિકેશન: આ ફંડ્સ સરકારી અને કોર્પોરેટ બોન્ડ જેવી વિવિધ ફિક્સ્ડ-ઇન્કમ સિક્યોરિટીઝમાં રોકાણ ફેલાવીને ડાઇવર્સિફિકેશન પૂરું પાડે છે અને પોર્ટફોલિયોનું એકંદર જોખમ ઘટાડે છે.
  • લિક્વિડિટી: ખાસ કરીને તાત્કાલિક નાણાકીય પરિસ્થિતિઓમાં ઓપન-એન્ડેડ ફિક્સ્ડ ઇન્કમ ફંડ લિક્વિડેશનની સવલત આપે છે, કારણ કે તેમાં કોઇ લૉક-ઇન પીરિયડ નથી હોતો.
  • પ્રમાણમાં ઓછા જોખમો: આ ફંડ્સને વ્યાપકપણે ઓછાથી મધ્યમ જોખમવાળા માનવામાં આવે છે, જો કે તે સંપૂર્ણપણે જોખમ મુક્ત નથી.
  • વધારાની આવક: ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ રોકડ પ્રવાહનો વધારાનો સ્ત્રોત પ્રદાન કરી શકે છે, ખાસ કરીને પદ્ધતિસર ઉપાડ પ્લાન દ્વારા, જે મેનેજમેન્ટ ફીને આધીન છે અને તમારી પ્રાથમિક કમાણીને પૂરક કરે છે તેમજ એકંદર નાણાકીય સ્થિરતામાં વધારો કરે છે.
  • નિવૃત્તિનું પ્લાનિંગ: આ ફંડ્સ પદ્ધતિસર ઉપાડ પ્લાન દ્વારા નિવૃત્તિ પછીના વર્ષો દરમિયાન ઓછું જોખમ, ઓછું વળતર અભિગમ સાથે આવકનો પ્રવાહ ઉભો કરવાનું પ્લાનિંગ કરવા માટે નિવૃત્તિના પ્લાનિંગના મુખ્ય ઘટક તરીકે સેવા આપી શકે છે, જે બજારના જોખમો અને ફંડની કામગીરીને આધીન છે.

ફિક્સ્ડ-ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ જોખમ-વિરોધી રોકાણકારો માટે આકર્ષક છે. ઉચ્ચ જોખમવાળા રોકાણોને બદલે સતત, સાધારણ, વળતર મેળવવા માંગતા વ્યક્તિઓ માટે તે અનુકૂળ છે.

ફિક્સ્ડ-ઇન્કમ ફંડ્સ વળતરની ગેરંટી આપતા નથી. એ નોંધવું અગત્યનું છે કે, વાસ્તવિક વળતર બજારની સ્થિતિ અને અન્ય પરિબળોને આધીન છે.  કોઇ ફંડ પોતાના માટે યોગ્ય છે કે કેમ તે અંગે જો રોકાણકારોને શંકા હોય તો તેમણે તેમના નાણાકીય સલાહકારોની સલાહ લેવી જોઇએ.

અસ્વીકરણ

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

285
હું રોકાણ કરવા માટે તૈયાર છું